Advertisement

SCE "શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન - પરિણામ પત્રક" Pragati_Patrak-D-2, ધોરણ-1

SCE Pragati_Patrak-D-2, D-4
SCE Pragati_Patrak-D-2, D-4

શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન (SCE) માં "શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન - પરિણામ પત્રક" Pragati_Patrak-D-2 એ ધોરણ-1 માટે ખુબજ અગત્યનું પત્રક ગણાય છે. દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત મૂલ્યાંકન તેમજ વર્ગનું સરેરાશ મૂલ્યાંકનની નોંધ આ પત્રકમાં કરવામાં આવે છે.  આ પત્રકમાં નોંધના આધારે વર્ષાન્તે વિદ્યાર્થિની પ્રગતિ નક્કી કરાય છે.

SCE પરિણામ પત્રકો (Parinam Patrako) ધોરણ 1 થી 8 : GCERT ગુજરાત દ્વારા પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન (Evaluation) કરવા માટે SCE Patrako તૈયાર કરવામાં આવેલા છે. જેમાં નીચે મુજબના પત્રકો A થી F સુધીના નિભાવવાના અને તૈયાર કરવાના હોય છે.
આ તમામ SCE પ્રગતિ પત્રકો કેવીરીતે ભરવા અને તેમાં કેવી નોંધ કરવી તેનામાટે SCE Teacher Guideline પણ આપવામાં આવેલી છે. જેનો અભ્યાસ કરીને શિક્ષક જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે.

પ્રગતિ પત્રક-D-2 માં વિધ્યાર્થીનું નામ, જનરલ રજીસ્ટર નંબર, શાળાનું નામ, તાલુકો, વર્ગ અને હાજર દિવસો સાથેની નોંધ હોય છે. જેમાં,...

વર્ષ દરમિયાન કરાવેલ શાળા તત્પરતાની પ્રવૃત્તિઓ :
1. બાળનાટકો 
2. પર્યટન 
3. રમત 
4. બાળવાર્તા
5. અવલોકન પ્રવૃત્તિઓ 
6. વર્ગીકરણપ્રવૃત્તિઓ 
7. કૂતુહલપ્રેરક પ્રવૃત્તિઓ 
8. અખતરા - અનુભવજન્ય પ્રવૃત્તિઓ 
9. ગુણ - લક્ષણ ઓળખપ્રવૃત્તિઓ 
10. સંગ્રહ પ્રવૃત્તિઓ 
11. યાદશક્તિ વિકાસ પ્રવૃત્તિઓ 
12. વિચારશક્તિવિકાસ પ્રવૃત્તિઓ 
13. સર્જનાત્મક પ્રવૃત્તિઓ 
14. તરાહની પ્રવૃત્તિઓ

ભાષા / ગણિત / પર્યાવરણ શિક્ષણ અન્વયે વર્ષ દરમ્યાન કરાવેલપ્રવૃત્તિઓ 
1. માટીકામ 
2. કાગળકામ 
3. રમત 
4. રંગપૂરણી 
5. જોડકણાં 
6. બાળગીતો 
7. ચિત્રો - આકૃતિઓ 
8. સંગ્રહ પ્રવૃત્તિ 
9. પ્રવાસ / પર્યટન 
10. નાટ્યપ્રવૃત્તિ 
11. વાર્તાકથન

તમામ પ્રવૃત્તિઓની સામે કેટલી પ્રવૃત્તિઓ વિધ્યાર્થી દ્વારા કરવામાં આવેલી છે તેની સંખ્યા લખવાની હોય છે.

ભાષા / ગણિત / પર્યાવરણના અભ્યાસક્રમનું વિષયવસ્તુ : ઉપર આ વિભાગમાં કુલ 28 વિધાનો 
આપેલા છે તેમાથી વિધ્યાર્થી કેટલા વિધાનો પૂરા કરેલા છે તેની નોંધ કરવાની હોય છે.

ઉપર મુમુજબના વિધાનોનું મૂલ્યાંકન કરી આ પત્રક વર્ગ શિક્ષક અને આચાર્યની સહી સાથે વિધ્યાર્થીના વાલીને આપવાનું હોય છે. જેમાં વાલી માટેની નીચે મુજબની સૂચનાઓ પણ આપવામાં આવેલી હોય છે.

પ્રગતિપત્રક D-2 ભરવા શિક્ષકશ્રી માટેની સૂચનાઓ :
  1. સતત મૂલ્યાંકનને આધારે પ્રત્યેક બાળકનું પ્રગતિ પત્રક તૈયાર કરવું.
  2. પ્રથમપાનાના ઉપરના ભાગમાં મહત્વની વિગતો કાળજીથી ભરવી.
  3. પ્રથમ પાના પરના પ્રથમ કોઠામાં શાળા તત્પરતા અન્વયે કરેલી પ્રવૃત્તિઓની તેમજ બીજા કોઠામાં ભાષા / ગણિત / પર્યાવરણ શિક્ષણ અન્વયે વર્ષ દરમિયાન કરાવેલ પ્રવૃત્તિઓની સંખ્યા લખવી.
  4. પરિણામપત્રકમાં પ્રત્યેક વિધાર્થી વિષયવસ્તુ અન્વયે પ્રગતિ પત્રકમાં કરેલી નોંધના આધારે A , B , C પૈકી કઈ કક્ષા ધરાવે છે તે નોંધવું.
  5. વિધાર્થીઓની સંખ્યા વધુ હોય તો વચ્ચેના ભાગમાં ઇનર ચિપકાવવું.
  6. પરિણામ પત્રક તૈયાર કરી આચાર્યશ્રીને વર્ગનાં બાળકોના પ્રગતિ પત્રક તથા પરિણામ પત્રક સહી કરીને આપવા તેમજ આચાર્યશ્રીની સહી પણ તેમાં અવશ્ય લેવી.
  7. પરિણામ પત્રક અને પ્રગતિ પત્રકો ફાઈલ કરવા આચાર્યશ્રીને આપો.
  8. પ્રત્યેક વિધાર્થી દીઠ આપવા સર્વગ્રાહી વિકાસાત્મક મૂલ્યાંકન પત્રકમાં જરૂરી નોંધ કરી તેમાં તમારી સહી કરવી, વિધાર્થીના વાલીશ્રીની સહી અવશ્ય કરાવવી. ત્યાર બાદ આ પત્રક આચાર્યશ્રીને સુપરત કરવું. 
આચાર્યશ્રી માટેની સૂચનાઓ :
  1. સતત મૂલ્યાંકનને આધારે વર્ગશિક્ષકે ફાઈલ કરવા આપેલ પ્રત્યેક બાળકનું પ્રગતિ પત્રક તે બાળક ઉપરના ધોરણના શિક્ષકને પ્રગતિની જાણકારી માટે અવશ્ય આપવું.
  2. વર્ગશિક્ષક દ્વારા વિધાર્થી દીઠ આપવામાં આવેલ સર્વગ્રાહી વિકાસાત્મક મૂલ્યાંકન પત્રક તે બાળકના ઉપરના ધોરણના વર્ગશિક્ષકને સુપરત કરવા
Source by GCERT Gujarat
Previous Post Next Post

Comments