Advertisement

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના | Mukhyamantri Matrushakti Yojana

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના -વાંચો સંપૂર્ણ માહિતી @ www.1000d.gujarat.gov.in

ગુજરાત સરકાર ની નવી યોજના વિશે માહિતી મેળવીએ મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (Mukhyamantri Matrushakti Yojana) માતાનું નબળું પોષણ સ્તર ગર્ભમા રહલે બાળકના વિકાસને અવરોધે છે,જે આગળ જતા બાળકના નબળા આરોગ્યમા પરરણામે છે. સગર્ભ માતાઓમા કુપોષણ અને પાંડુ રોગ, એ બાળકના વૃદ્ધિ અને વિકાસ પર ગંભીર અસર કરે છે. માતા અને બાળકના પોષણ સ્તરમા સુધાર લાવવા માટે મહિલા ગર્ભ ધારણ કરે તે ૨૭૦ દિવસ અને બાળકના જન્મથી ૨ વર્ષ સુધીના ૭૩૦ દિવસના સમયગાળાને ૧૦૦૦ દિવસ “First Window of Opportunity” તરીકે ઓળખાય છે.આ બાબતની અગત્યતાને ધ્યાને લઇ ગુજરાત સરકાર દ્વારા ૧૦૦૦ દિવસ માટે “મુખ્યમાત માતૃશક્તિ યોજના” ને મજુંરી આપેલ છે.


મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના - ટુંકી વિગત
  1. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ? યોજનાની જાણો ટૂંકમાં માહિતી
  2. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ગુજરાત (MMY) 2022 ના લાભો
  3. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના યોજનાના અપેક્ષિત પરિણામો
  4. સત્તાવર માહિતી: મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજના ગુજરાત (MMY) 2022


💥💥નવી યોજના જાહેર
🙏મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ગુજરાત...૨૦૨૨

👩‍👩‍👧‍👦👌સગર્ભા માતાઓ અને જન્મથી ૨ વર્ષ સુધીના બાળકની માતાઓને લાભ આપવા માટેની યોજના

⏩દરેક લાભાર્થીને દર મહીને આંગણવાડી પરથી વિવિધ સેવાઓ સાથે રો-રાશનમાં પ્રતિમાસ  મળશે આ લાભો 👌
      ✅  ૦૨ કિલો ચણા,
      ✅ ૦૧ કિલો તુવેરદાળ,
      ✅ ૦૧ લીટર ખાદ્યતેલ

👌જાણો યોજનાનો હેતુંઓ :
✅ માતા અને બાળકના પોષણની સ્થિતિમાં સુધારો
✅ અપુરતા મહીને જન્મ કે ઓછુ વજનવાળા બાળકોના જન્મનો વ્યાપ ઓછો કરવો.
✅ IMR અને MMR  માં ઘટાડો


👌ઉપયોગી માહિતી આગળ શેર કરવાનું ભૂલશો નહીં 🙏


Mukhyamantri Matrushakti Yojana Details
✓ યોજના નું નામ: મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના 2022
✓ કોણે શરૂ કરી : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી
✓ રાજ્ય: ગુજરાત
✓ લાભાર્થી : ગર્ભવતી સ્ત્રી અને તેના બાળકો
✓ યોજનાનો ઉદ્દેશ્ય : પોષણયુક્ત ખોરાક આપવો
✓ સતાવાર વેબસાઈટ : https://1000d.gujarat.gov.in
✓ હેલ્પલાઇન નંબર : 155209

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ? યોજનાની જાણો ટૂંકમાં માહિતી
મિત્રો ભારત માં ઘણી સ્ત્રીઓ ને ગર્ભાવસ્થા દરમિયાન પોષણયુક્ત આહાર મળતો નથી, જેના કારણે માતા નું સ્વાસ્થ્ય બગડે છે અને સાથે પેટ માં રહેલા બાળક ની પણ તબિયત ખરાબ રહે છે. તેથી, સગર્ભા સ્ત્રી અને તેના બાળકને કુપોષણથી બચાવવા માટે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 18મી જૂન 2022 ના રોજ મુખ્યત્વે ગુજરાત રાજ્ય માટે મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજના શરૂ કરવાની જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના આ યોજના હેઠળ, મુખ્ય ધ્યાન સગર્ભા સ્ત્રીઓ અને તેમના બાળકોના સ્વાસ્થ્ય પર છે. કુલ 1000 દિવસનો સમયગાળો જે સ્ત્રીની ગર્ભાવસ્થાના 270 દિવસ અને તેના બાળકના જન્મ પછીના બે વર્ષ સુધીના 730 દિવસનો છે. જ્યારે સ્ત્રી ગર્ભવતી હોય છે, ત્યારે તેને પૌષ્ટિક આહારની સૌથી વધુ જરૂર હોય છે, કારણ કે માત્ર પૌષ્ટિક આહાર મેળવવાથી જ તેને પોષણ મળે છે તેમ તેના બાળકોને પણ પોષણ મળે છે.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ગુજરાત (MMY) 2022 ના લાભો

મળવાપાત્ર લાભ : દરેક લાભાર્થીને દર માસે આંગણવાડી કેન્દ્ર ઉપરથી આંગણવાડીની વિવિધ
✓ સેવાઓની સાથે-સાથે રો-સશનમાં ૨ કિલો ચણા, ૧ કિલો તુવેર દાળ અને ૧ લીટર સીંગતેલ આપવાનું નક્કી કરેલ છે.
✓ લાભાર્થીઓને આ કીટનું વિતરણ આંગણવાડી કાર્યકર/તેડાગર બહેનો દ્વારા આંગણવાડી કેન્દ્રમાંથી લાભાર્થીને OTP અથવા અન્ય સમાન માધ્યમથી કરવાનું રહેશે.
✓ આ યોજના 01/06/2022 થી લાગુ કરવામાં આવશે.

નાણાંકીય જોગવાઈ : યોજના અંતર્ગત ચાલુ વર્ષે રૂ. ૮૧૧.૦૦ કરોડની જોગવાઇ કરેલ છે. તેમજ આગામી પાંચ વર્ષ માટે રૂ. ૪૦૦૦ કરોડથી વધુ રકમની જોગવાઇ કરવામાં આવનાર છે.

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના યોજનાના અપેક્ષિત પરિણામો

• માતા અને બાળકના પોષણની સ્થિતિમાં સુધારો
• અપુરતા મહિને જન્મ કે ઓછુ વજનવાળા બાળકોના જન્મનો વ્યાપ ઓછો કરવો.
• IMR અને MMR માં ઘટાડો

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટે જરૂરી દસ્તાવેજો - Required Documents for Matrushakti Yojana

1. આધાર કાર્ડની ફોટોકોપી
2. મોબાઈલ નંબર
3. બાળકનું જન્મ પ્રમાણપત્ર
4. હોસ્પિટલમાં દાખલ માહિતી

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માં અરજી કરવાની પ્રક્રિયા - Apply online for Matrushakti Yojana

સ્ટેપ-1 : સરકાર દ્વારા યોજનાનો લાભ મેળવવા અરજી કરવા માટે સતાવાર વેબસાઈટ પર જવાનું રહેશે.
https://1000d.gujarat.gov.in
સ્ટેપ-2 : ત્યારબાદ તમને સર્વિસ ના બટન પર ક્લિક કરવાનું રહેશે
સ્ટેપ 3 : ત્યાં તમને 4 ઓપ્શન દેખાશે 
1. સ્વ નોંધણી 
2. નોંધણી માં સુધારો 
3. નોંધણી ની રસીદ 
4. મોબાઈલ નંબર સુધારો
સ્ટેપ-4 : પછી તમારે અરજી કરવા માટે સ્વ નોંધણી પર ક્લિક કરવાનું રહેશે.
સ્ટેપ 5 : ત્યાં પછી તમે બધી માહિતી ભરી શકશો.

જો તમને કંઈ અરજી કરવા માં તકલીફ થતી હોય તો તમે નજીક ના આંગણવાડી ની મુલાકાત લઈ શકો છો અથવા મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ગુજરાત હેલ્પલાઇન નંબર પર કોલ કરી શકો છો.

ટોલ ફ્રી નંબર : 155209
સતાવાર વેબસાઈટ : https://1000d.gujarat.gov.in

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટે વારંવાર પૂછાતા પ્રશ્નો - FAQs

પ્રશ્ન-1 : મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના કોના માટે છે?
જવાબ : ગુજરાત રાજ્ય ની સગર્ભા મહિલાઓ અને તેમના બાળક ને પોષણયુક્ત ખોરાક આપવા માટે છે.

પ્રશ્ન-2 :મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માં શું લાભ મળશે?
જવાબ : મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજના અંતર્ગત ગુજરાત સરકાર સગર્ભા મહિલાઓને દર મહિને ચણા, તેલ અને તુવેરની દાળ આપશે.

પ્રશ્ન-3 : મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના નો ઉદ્દેશ્ય શું છે?
જવાબ : જ્યારે સ્ત્રીને ગર્ભાવસ્થાનો સમય આવે ત્યારે તેને પોષણયુક્ત આહાર મળી રહે, જેથી ન તો સગર્ભા સ્ત્રી કુપોષણનો ભોગ બને અને ન તો તેના પેટમાં રહેલું બાળક કુપોષણ નો શિકાર બને…

પ્રશ્ન-4 : મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના ક્યા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે ? 
જવાબ : મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર

પ્રશ્ન-5 : મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટે સતાવાર વેબસાઈટ કઈ છે?
જવાબ : સતાવાર વેબસાઈટ : https://1000d.gujarat.gov.in

પ્રશ્ન-6 : મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટે હેલ્પલાઇન નંબર શું છે?
જવાબ : મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટે હેલ્પલાઇન નંબર 155209

સત્તાવર માહિતી: મુખ્ય મંત્રી માતૃશક્તિ યોજના ગુજરાત (MMY)

સત્તાવાર પરિપત્ર : અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઇટ: અહીં ક્લિક કરો

લોકો દ્વારા Mukhyamantri Matru Shakti Yojana વિશે પૂછવામાં આવતા અન્ય પ્રશ્નો
  • મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના શું છે?
  • મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાનો હેતુ કયો?
  • મુખ્યમંત્રી માતૃશક્તિ યોજનાના લાભો/વિશેષતાઓ શું ?
  • મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટેની પાત્રતા શું છે?
  • મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માટે જરૂરી દસ્તાવેજો કયા છે?
  • મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માં અરજી કરવાની પ્રક્રિયા શું છે?
Previous Post Next Post

Comments