Advertisement

PM Svanidhi Yojana: રૂ.50000 સુધીની લોન ,આ રીતે કરો અરજી

PM Svanidhi Yojana in Gujarati


PM Svanidhi Yojana New Updates : PM SVANidhi યોજના એ વડાપ્રધાન સ્ટ્રીટ વેન્ડરને આત્મનિર્ભર બનાવવા માટે શરુ કરવામા આવેલી એક યોજના છે. તે જૂન 2020 માં શરૂ કરવામાં આવેલી કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે. તેનો હેતુ કોવિડ-19 રોગચાળાને કારણે અસરગ્રસ્ત શેરી વિક્રેતાઓને નાણાકીય સહાય કરી આત્મનિર્ભર બનાવવાનો છે. આ યોજનામા કેટલી નાણાકીય સહાય મળે છે ? કઇ રીતે મળે છે ? ક્યા અરજી કરવી ? શું નિયમો હોય વગેરે વિગતો આ પોસ્ટમા જાણીએ.


હવે મળશે રુ. 50000 ની લોન....💸💸

💥✅ PM સ્વનિધી યોજના જાહેર (વર્ષ - 2023)

▪️ આ યોજના હેઠળ 50 લાખ થી વધુ લોકો ને લાભ મળશે..
▪️ આ યોજનામાં 50 હજાર સીધા ખાતામાં જમા થશે..

  - અરજી ફોર્મ
  - ડોક્યુમેન્ટ
  - કેટલી સહાય

⤵️ તમામ માહિતી અને ફોર્મ ભરવાની લિંક..

👏🏻 આ મેસેજ વધુમાં વધુ શેર કરો..

About PM Svanidhi Yojana Read All Detail


PM સ્વનિધિ યોજના, સ્ટ્રીટ વેંડર્સ, લારી વાળા કે સડક કિનારે દુકાન ચલાવનારા માટે સરકારે એક લોન સ્કીમ (Govt started Loan Scheme For Street Vendors) શરૂ કરી છે. તેનું નામ PM Svanidhi Yojana છે. આ યોજનાનો હેતુ સ્ટ્રીટ વેંડર્સ ને ધંધામ મદદ કરવાનો છે. આ માટે 5000 કરોડની રકમ સરકાર તરફથી ફાળવવામાં આવી છે. તેના માટે કોઈ ખાસ નિયમો લાગુ કરાયા નથી. PM Svanidhi Yojana In Gujarati ની સમયમર્યાદા વધારી ડીસેમ્બર ૨૦૨૪ સુધી કરવામા આવી છે. જાણો કેટલા સમય સુધી મળશે ગેરંટી ફ્રી લોન? આ માટે જાણી લો કે કોને આ યોજનાનો લાભ મળશે. અને તેને માટે કઈ રીતે અરજી કરવાની રહેશે.

✓ પોસ્ટ નું નામ : PM Svanidhi Yojana 2023
✓ પોસ્ટ કેટેગરી : સરકારી યોજના
✓ યોજના શરુ થયાનું વર્ષ : 1st June 2020
✓ લાભાર્થી : દરેક સ્ટ્રીટ વેન્ડર્સ
✓ ઉદ્દેશ્ય : આ યોજનાનો હેતુ સ્ટ્રીટ વેંડર્સની મદદનો છે
✓ એપ્લિકેશન મોડ : Online / Offline
✓ સત્તાવાર વેબસાઈટ : pmsvanidhi.mohua.gov.in

PM સ્વનિધિ યોજનાની વિશેષતાઓ


  1. આ યોજના કેન્દ્રીય ક્ષેત્રની છે
  2. આ સ્ટ્રીટ વેન્ડર્સ સસ્તું કાર્યકારી મૂડી લોન પ્રદાન કરશે જેઓ કોરોનાવાયરસ રોગચાળાથી પ્રભાવિત છે.
  3. આ યોજના માર્ચ 2022 થી લાગુ કરવામાં આવી છે.
  4. વિક્રેતાઓને રૂ. 50000 સુધીની પ્રારંભિક કાર્યકારી મૂડી લોન સ્વરૂપે પ્રદાન કરવામાં આવશે.
  5. વેન્ડરને લોનની વહેલી અથવા સમયસર ચુકવણી પર 7 ટકાના દરે વ્યાજ સબસિડી મળશે.
  6. ડિજિટલ પેમેન્ટ પર માસિક કેશ-બેક પ્રોત્સાહનની પણ જોગવાઈ છે.
  7. રૂ. 50-100. ની રેન્જમાં માસિક કેશબેક મઍળ્વાપાત્ર છે.
  8. જો વિક્રેતા પ્રથમ લોન રૂ.10000 ની સમયસર ચૂકવે તો તેને આગળ બીજી રૂ.20000 અને રૂ.50000 ની લોન આપવામા આવે છે.
  9. આ યોજનામા વેન્ડરને લોન મેળવવા માટે કોઈ કોલેટરલ સિક્યોરિટી આપવી પડતી નથી.

PM Svanidhi Yojana હેઠળ ધિરાણ આપતી સંસ્થાઓ


  • અનુસૂચિત વાણિજ્યિક બેંકો
  • પ્રાદેશિક ગ્રામીણ બેંકો
  • સહકારી બેંકો
  • નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ
  • માઇક્રો-ફાઇનાન્સ સંસ્થાઓ
  • સ્વસહાય જૂથો (SHG) બેંકો

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની પાત્રતા:


આ યોજના ફક્ત તે જ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના લાભાર્થીઓ માટે ઉપલબ્ધ છે જેમણે સ્ટ્રીટ વેન્ડર્સ (Protection of Livelihood and Regulation of Street Vending) એક્ટ, 2014 હેઠળ નિયમો અને યોજનાને લાગૂ કરેલ છે.

અમલીકરણ ભાગીદાર


સ્મોલ ઈન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા (SIDBI) યોજનાના વહીવટ માટે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના અમલીકરણ ભાગીદાર હશે. SIDBI યોજનાના અમલીકરણ માટે SCBs, RRBs, SFBs, સહકારી બેંકો, NBFCs અને MFIs સહિત ધિરાણ આપતી સંસ્થાઓના નેટવર્કનો ઉપયોગ કરશે.

PM Svanidhi Yojana માટે પાત્રતાના માપદંડ શું છે?


PM Svanidhi Yojana ઓનલાઈન નોંધણી માટે પસંદ કરતા પહેલા, નીચેના પાત્રતા પરિબળોને ધ્યાનમા લેવામા આવે છે.

વેન્ડિંગ અથવા અર્બન લોકલ બોડીઝ (યુએલબી) દ્વારા જારી કરાયેલ માન્ય ઓળખ કાર્ડ ધરાવતા વેન્ડર્સ આ યોજના હેઠળ સહય મેળવવા પાત્ર છે.

જો કોઈ વ્યક્તિ વેન્ડિંગનું પ્રમાણપત્ર રજૂ કરવામાં નિષ્ફળ જાય અને સ્ટ્રીટ વેન્ડર લોન મેળવવા અરજી કરે છે તો તેણે નગરપાલિકાઓ પાસેથી ભલામણનો પત્ર રજૂ કરવાનુ રહેશે.

PM સ્વનિધિ યોજના ઓનલાઈન અરજી સ્ટેપ


Step 1: PM SVANidhi ની ઓફીસીયલ વેબસાઇટની મુલાકાત લો અને “લોન માટે અરજી કરો” વિકલ્પ પર ક્લિક કરો.
 

Step 2: તમારો મોબાઇલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો 

Step 3: તમારી શ્રેણી પસંદ કરો અને જરૂરી ફીલ્ડ્સ ભરો. 

Step 4: છેલ્લે, “સબમિટ કરો” પર ટેપ કરો. આ સ્ટેપને અનુસરીને, તમે PM SVANidhi યોજના હેઠળ સફળતાપૂર્વક નોંધણી કરાવી શકો છો.

અગત્યની લીંક


PM સ્વનિધી યોજના માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?


https://pmsvanidhi.mohua.gov.in
Previous Post Next Post

Comments