Advertisement

ઘરઘંટી સહાય યોજના હેઠળ રૂપિયા 15000/- ની સહાય મળશે | Flour Mill Sahay Yojana Gujarati

ઘરઘંટી સહાય યોજના હેઠળ રૂપિયા 15000/- ની સહાય મળશે | Flour Mill Sahay Yojana

ગરગંટી સહાય યોજના | ગરગંતી સહાય યોજના

gharghanti sahay yojana | manav kalyan yojana 2024 | ghar ghanti sahay yojana | માનવ કલ્યાણ યોજના 2024

રાજ્ય સરકારો નાગરિકોના કલ્યાણ અને હિતને ધ્યાને રાખીને વિવિધ યોજનાઓ બહાર પાડતી હોય છે. જેમ કે, વિદ્યાર્થીઓ માટે ડિજીટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશીપ યોજના ઓનલાઈન મૂકવામાં આવે છે. ખેડૂતો માટે Pradhan Mantri Kisan Samman Nidhi Yojana બહાર પાડેલ છે. એવી જ રીતે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા માનવ ગરિમા યોજના બહાર પાડવામાં આવેલ છે. કમિશ્નર કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા માનવ કલ્યાણ યોજના 2024 ના ઓનલાઈન એપ્લિકેશન ચાલુ કરવામાં આવેલા છે.

માનવ કલ્યાણ યોજના અંતર્ગત કુલ 27 પ્રકારના સાધન વિનામુલ્યે આપવામાં આવે છે. જેમાં બ્યુટી પાર્લર કીટ સહાય યોજના, પ્રેસર કુકર સહાય યોજના, મફત સિલાઈ મશીન યોજના, મોબાઈલ રીપેરીંગ કીટ સહાય યોજના ,હેર કટીંગ કીટ સહાય યોજના, હેર કટીંગ કીટ સહાય યોજના , રૂ ની વાટ બનાવવાનું મશીન સહાય યોજના તથા પેપર કપ અને ડીશ બનાવવા માટે મશીન યોજના વગેરે ચાલે છે. આજે આપણે ઘરઘંટી સહાય યોજના વિશે માહિતી મેળવીશું.


Flour Mill Sahay Yojana Table of Contents

  • Flour Mill Sahay Yojana
  • ઘરઘંટી સહાય યોજના હેઠળ સહાય આપવાનો હેતુ (Perpose)
  • Highlight Point
  • ઘરઘંટી સહાય યોજનામાં લાભ શું મળે અને કેટલા રૂપિયાની સહાય મળે?
  • Flour Mill Sahay Yojana PDF Form કેવી રીતે મેળવવું?
  • Documents Required Of Flour Mill Sahay Yojana | ઘરઘંટી સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ
  • ઘરઘંટી સહાય મેળવવા માટે ખાસ કઈ બાબત જરૂરિયાત છે?
  • Important Links Of Flour Mill Sahay Yojana
  • How To Online Apply Flour Mill Sahay Yojana । કેવી રીતે ઓનલાઈન અરજી કરવાની રહેશે?
  • FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

રાજ્યના પછાત અને આર્થિક રીતે નબળાં લોકો સ્વ-રોજગારી મેળવી આત્મનિર્ભર બને તે ખૂબ જરૂરી છે. જેમાં Manav Kalyan Yojana Online Form 2024 હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. ઘરઘંટી સહાય યોજનાનો લાભ કોને મળશે ? આ લાભ કેવી રીતે મેળવી શકાશે? તેના માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડે ? કેટલો લાભ અને શું સહાય મળશે? તેની માહિતી અહીં વિગતવાર મેળવીશું.

ઘરઘંટી સહાય યોજના હેઠળ સહાય આપવાનો હેતુ (Perpose)

રાજ્યના તમામ નાગરિકો રોજગારી મેળવે તે ખૂબ જ જરૂરી છે. માનવ કલ્યાણ યોજના હેઠળ વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. યુવાનો પોતાના આવડત અનુસાર નવો ધંધો કે વ્યવસાય કરે તે જરૂરી છે. આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીઓને ઘરઘંટી આપવામાં આવે છે. જેથી લાભાર્થીઓ દ્વારા ગ્રામ્ય વિસ્તાર કે નગર વિસ્તારમાં અનાજ દળવાનો ધંધો ચાલુ કરી શકે.

Highlight Point

આર્ટિકલનું નામ

ઘરઘંટી સહાય યોજના

મુખ્ય યોજનાનું નામ

માનવ કલ્યાણ યોજના 2024

ઘરઘંટી સહાય યોજના કઈ યોજનાનો ભાગ છે?

Manav Kalyan Yojana Gujarat

આ યોજનાના હેઠળ શું લાભ મળે?

નવ યુવાનો પોતાની આવડતને અનુસાર અનાજ દળવા માટે ઘરઘંટી આપવામાં આવે છે.

ઘરઘંટી સહાય યોજનામાં કેટલી રકમની સહાય મળશે?

રૂપિયા 15000/- ની અનાજ દળવા માટે ઘરઘંટી સાધન સહાય તરીકે આપવામાં આવે છે.

આર્ટિકલની ભાષા

ગુજરાતી અને અંગ્રેજી

લાભાર્થીની પાત્રતા

BPL કાર્ડ ધરાવતા અને નિયત થયેલી આવક મર્યાદા ધરાવતા સમાજના નબળા વર્ગને

મળવાપાત્ર સહાય

ઘરઘંટી સહાય યોજના

અરજી પ્રક્રિયા

ઓનલાઈન અરજી કરવાની રહેશે.

Official Website

http://www.cottage.gujarat.gov.in/  

Online Application Website

https://e-kutir.gujarat.gov.in/

e-Kutir પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

e-Kutir Online Process

ઘરઘંટી સહાય યોજનામાં લાભ શું મળે અને કેટલા રૂપિયાની સહાય મળે?

માનવ કલ્યાણ યોજના 2024 હેઠળ લાભાર્થીઓને વિવિધ સાધન સહાય આપવામાં આવે છે. જેમાં અનાજ દળવા માટે નવો ધંધો ચાલુ કરી શકે. તે માટે “ઘર ઘંટી સાધન સહાય” આપવામાં આવે છે. આ સાધન સહાય યોજનામાં 15000/- રૂપિયાની કિંમત કીટ આપવામાં આવે છે.

Flour Mill Sahay Yojana PDF Form કેવી રીતે મેળવવું?

કમિશ્રન કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ  દ્વારા અધિકૃત વેબસાઈટ બનાવવામાં આવી છે. જેમાં http://www.cottage.gujarat.gov.in/ અને https://e-kutir.gujarat.gov.in/ આ બે વેબસાઈટ છે. આ વેબસાઈટ પરથી વિનામુલ્યે મેળવી શકાશે.

Documents Required Of Flour Mill Sahay Yojana | ઘરઘંટી સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ

માનવ કલ્યાણ યોજના હેઠળ જુદા-જુદા સાધનો વિનામૂલ્યે આપવામાં આવે છે. અનાજ દળવાના ધંધા માટે Ghar Ghanti Sahay Yojana ચાલુ કરેલ છે. જેના અગાઉથી ડોક્યુમેન્‍ટ નક્કી કરેલા છે. ઓનલાઈન અરજી કરતી વખતે ડોક્યુમેન્‍ટ અપલોડ કરવાના રહેશે. જે નીચે મુજબના રહેશે.

  • લાભાર્થીઓએ અનાજ દળવાની તાલીમ મેળવી હોય તો તેનું પ્રમાણપત્ર
  • Flour Mill Sahay Yojana  નો લાભ લેવા માટે તેના અનુભવ અંગેનું પ્રમાણપત્ર
  • લાભાર્થીનું રેશનકાર્ડ
  • ચૂંટણીકાર્ડની નકલ
  • આધારકાર્ડની નકલ
  • અરજદારનો ઉંમર અંગેનો પુરાવો
  • લાભાર્થીની જે જાતિનો હોય તે અંગેનો દાખલો (સરકાશ્રી દ્વારા માન્ય કરેલ અધિકારીશ્રીનો)
  • ગ્રામ્ય વિસ્તારનો BPL સ્કોર સાથેનો દાખલો / શહેરી વિસ્તાર માટે સુવર્ણ કાર્ડની નકલ
  • આવક અંગેનો દાખલો
  • અનાજ દળવાનો ધંધા કરેલ હોય તો તેના અનુભવનો દાખલો

ઘરઘંટી સહાય મેળવવા માટે ખાસ કઈ બાબત જરૂરિયાત છે?

આ સહાય યોજનાનો લાભ મેળવવા માટે “ઘરઘંટી ચલાવેલ હોય તો તેનું પ્રમાણપત્ર જરૂરી છે. તથા ઘરઘંટી ચલાવવાની તાલીમ મેળવેલ હોય તો અનુભવ પ્રમાણપત્ર જરૂરી છે.

Important Links Of Flour Mill Sahay Yojana

વિડિયો જુઓ... 👇👇👇


ક્રમ યોજનાની લગતી વિગતો

How To Online Apply Flour Mill Sahay Yojana । કેવી રીતે ઓનલાઈન અરજી કરવાની રહેશે?

માનવ કલ્યાણ યોજના અને તેના જેવી સ્વ-રોજગારલક્ષી યોજનાનો લાભ લેવા માટે e-Kutir Portal પર Online Application કરવાની હોય છે. ઈ-કુટીર પોર્ટલ પર વિવિધ સાધન સહાય માટે કેવી રીતે કરવું તેની Steps by Steps માહિતી નીચે મુજબ છે.

  • સૌથી પહેલાં Google માં “e-Kutir Portal” ટાઈપ કરવાનું રહેશે.
  • જેમાં કમિશ્નર કુટીર અને ગ્રામોદ્યોગની Official Website e-Kutir Portal ખૂલશે.
  • E-Kutir Portal પર ક્લિક કરતાં હવે “માનવ કલ્યાણ યોજના pdf”  પહેલી યોજના દેખાશે.
  • E Kutir Portal પર જો તમે અગાઉ User Id અને Password બનાવેલ હોય તો “Login to Portal” કરવાનું રહેશે.
  • લોગીન કર્યા બાદ Manav Kalyan Yojana 2024 નામની અલગ-અલગ યોજના બતાવશે..
  • જેમાં યોજનાનું ઓનલાઈન ફોર્મ ખૂલશે, જેમાં “વ્યક્તિગત માહિતી (Personal Detail) માં તમામ માહિતી ભરીને “Save & Next” પર ક્લિક આપવાનું રહેશે.
  • હવે ખાસ તમારા અનુભવ અને અભ્યાસને ધ્યાનમાં રાખીને “ઘર ઘંટી સહાય” માટે અરજી સિલેક્ટ કરવાનું રહેશે.


  • અનાજ દળવા માટે માટે તમે જે તાલીમ મેળવી હોય તે પ્રમાણપત્ર તથા અનુભવના પ્રમાણપત્રોની વિગતો દાખલ કરો.
  • અરજદારે હવે આધારકાર્ડની નકલ, રેશનકાર્ડની નકલ, BPL ના ડોક્યુમેન્ટે અને ધંધાના અનુભવ અંગેનો દાખલો વગેરે Document Upload કરવાના રહેશે.
  • ત્યારબાદ આપેલી નિયમો અને શરતો વાંચીને “Confirm Application” ક્લિક કરવાનું રહેશે.
  • છેલ્લે, ઓનલાઈન અરજીનો જે એપ્લિકેશન નંબર આવે તે સુરક્ષિત જગ્યાએ નોંધી રાખવાનો રહેશે.

FAQ-વારંવાર પૂછાતા પ્રશ્નો

1. Flour Mill Sahay Yojana 2024 માટે અધિકૃત વેબસાઈટ કઈ છે?

જવાબ: આ યોજના માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે. આ યોજનાની ઓનલાઈન અરજી કરવા માટે https://e-kutir.gujarat.gov.in/ અધિકૃત વેબસાઈટ બનાવેલ છે.

2. ઘરઘંટી સહાય માટે કોણ-કોણ અરજી કરી શકે છે?

જવાબ: આ યોજના માટે અનાજ દળવાની તાલીમ મેળવેલ હોય કે આનો અગાઊ ધંધો કરેલ હોય તેવા પાત્રતા ધરાવતા લાભાર્થીઓ આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે.

3.  Ghar Ghanti Sahay Yojana હેઠળ શું સહાય આપવામાં આવે છે અને તેની કિંમત કેટલી થશે?

જવાબ: રાજ્યના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને અનાજ દળવા માટે ઘરઘંટી આપવામાં આવશે, જેની કિંમત રૂપિયા 15000/- થાય છે.

ગરગંટી માટેની સરકારી સહાય યોજના 

Previous Post Next Post

Comments