SC વિદ્યાર્થીઓ માટે મેટ્રિકોત્તર શિષ્યવૃત્તિ યોજના 2025-26
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે મેટ્રિકોતર શિષ્યવૃત્તિ યોજના હેઠળ વર્ષ 2025-26 માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત ઉચ્ચતર શૈક્ષણિક અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે.
📌 યોજનાનો હેતુ
અનુસૂચિત જાતિ વર્ગના ગરીબ અને લાયક વિદ્યાર્થીઓને ઉચ્ચતર શિક્ષણમાં પ્રોત્સાહન આપવું અને તેમની આર્થિક મદદ કરવી.
✅ લાભાર્થી કોણ?
- વિદ્યાર્થીના માતા-પિતાની વાર્ષિક આવક રૂ. 2.50 લાખથી વધુ ન હોવી જોઈએ.
- માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ/યુનિવર્સિટીઓ/કોલેજો/શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ.
📌 જરૂરી દસ્તાવેજો
- આધાર નંબર (UIDAI)
- મોબાઈલ નંબર
- જોડાયેલ બેંક ખાતું
- આવક પ્રમાણપત્ર
- પાછલા વર્ષનું માર્કશીટ
- જાતિ પ્રમાણપત્ર
📌 કાર્યક્ષેત્ર
- ધોરણ 11 અને ત્યારબાદ દરેક માન્યતા પ્રાપ્ત અભ્યાસક્રમ.
- લાભાર્થીઓની પસંદગી રાજ્ય સરકાર અથવા સંઘ રાજ્ય ક્ષેત્ર દ્વારા કરવામાં આવશે.
- સૌથી ગરીબ પરિવારોના વિદ્યાર્થીઓને પ્રાથમિકતા મળશે.
📌 શિષ્યવૃત્તિ લાભ
- સંપૂર્ણ ટ્યુશન ફી (હોસ્ટેલ સહિત) ચૂકવવામાં આવશે.
- પ્રતિ વર્ષ રૂ. 2800/- થી લઇને રૂ. 13500/- સુધીનું શૈક્ષણિક ભથ્થું મળશે.
- દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખાસ 90% વધારાનું ભથ્થું મળશે.
📌 અરજી પ્રક્રિયા
વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવા માટે આધિકારીક વેબસાઇટ પર જઈને તમામ જરૂરી વિગતો અને દસ્તાવેજો સાથે રજિસ્ટ્રેશન કરવું પડશે.
📌 મહત્વની લિંક
![]() |
| Matrikottar Scholership / SC વિદ્યાર્થીઓ માટે મેટ્રિકોત્તર શિષ્યવૃત્તિ યોજના |
⚠️ નોંધ
- અરજી કરતી વખતે સાચા દસ્તાવેજો અપલોડ કરવો અનિવાર્ય છે.
- છેલ્લી તારીખ પહેલા અરજી પૂર્ણ કરો.
વધુ માહિતી માટે QR કોડ સ્કેન કરો અથવા ઉપર આપેલી લિંક પર ક્લિક કરો.
