Advertisement

SCE "વ્યક્તિત્વ વિકાસ પત્રક" Pragati_Patrak-B, ધોરણ- 3 થી 8

SCE Pragati_Patrak-B
SCE Pragati_Patrak-B

શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન (SCE) માં "વ્યક્તિત્વ વિકાસ પત્રક" Pragati_Patrak-B એ ખુબજ અગત્યનું પત્રક ગણાય છે. દરેક વિદ્યાર્થીનું વ્યક્તિગત મૂલ્યાંકન કરવા માટે તેમાં નોંધ કરવામાં આવે છે. વર્ષની શરૂઆતથી જ આપત્રકમાં નોંધ શરૂ કરવામાં આવે છે અને વર્ષાન્તે તેના આધારે વિદ્યાર્થિનીએ પ્રગતિ નક્કી કરાય છે.

SCE પરિણામ પત્રકો (Parinam Patrako) ધોરણ 1 થી 8 : GCERT ગુજરાત દ્વારા પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન (Evaluation) કરવા માટે SCE Patrako તૈયાર કરવામાં આવેલા છે. જેમાં નીચે મુજબના પત્રકો A થી F સુધીના નિભાવવાના અને તૈયાર કરવાના હોય છે.
આ તમામ SCE પ્રગતિ પત્રકો કેવીરીતે ભરવા અને તેમાં કેવી નોંધ કરવી તેનામાટે SCE Teacher Guideline પણ આપવામાં આવેલી છે. જેનો અભ્યાસ કરીને શિક્ષક જરૂરી માર્ગદર્શન મેળવી શકે છે.

પત્રક-B માં કુલ 4 (ચાર) અધ્યયન ક્ષેત્રો હોય છે અને આ ચારેય ક્ષેત્રોના મળીને કુલ 40 અધ્યયન નિષ્પત્તિઓ / ક્ષમતા વિધાનો નક્કી કરવામાં આવેલા છે. દરેક અધ્યયન ક્ષેત્રદીઠ વિધ્યાર્થી કેટલી ક્ષમતાઓ સિધ્ધ કરી છે તે વર્ષના અંતે આ પત્રકના આધારે જાણી શકાય છે.

ક્ષેત્ર-1, વ્યક્તિગત અને સામાજિક ગુણો: અધ્યયનના આ ક્ષેત્રમાં કુલ 8 ક્ષમતાઓ હોય છે. જેમાં વિધ્યાર્થિના વ્યક્તિગત અને સામાજીકતાના ગુણોના વિકાસની નોંધ કરવામાં આવે છે. 

ક્ષેત્ર-2, વિધ્યાર્થીના વલણો : અધ્યયનના આ ક્ષેત્રમાં કુલ 6 ક્ષમતાઓ હોય છે. તેમાં વિદ્યાર્થીના હકારાત્મક / નકારાત્મક વલણ તેમજ સમાજ, રાષ્ટ્ર પ્રત્યે પોતાની જવાબદારીના ગુણોની નોંધ કરવામાં આવે છે.

ક્ષેત્ર-3, વિધ્યાર્થીના રસના ક્ષેત્રો : અધ્યયનના આ ક્ષેત્રના બીજા 4 (ચાર) પેટા ક્ષેત્રો છે. (1). સાહિત્ય (2). સંગીત અને કલા (3). શારીરીક શિક્ષણ અને યોગ (4). સાંસ્ક્રુતિક કાર્યક્રમ. અધ્યયનના આ પેક્ષાક્ષેત્રોમાં મળીને કુલ 17 ક્ષમતા વિધાનો નક્કી કરવામાં આવેલા છે. જેમાં વિધ્યાર્થિની પ્રગતિ પ્રમાણે નોંધ કરાય છે.

ક્ષેત્ર-4, સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ અને કાર્યાનુભવ : અધ્યયનના આ ક્ષેત્રમાં કુલ 9 ક્ષમતા વિધાનો હોય છે. તેમાં શાળા કક્ષાએ કરવામાં આવતી અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં વિધ્યાર્થિની ભાગીદારી, અને કામગીરીના આધારે તેની પ્રગતિની નોંધ કરવામાં આવે છે.

પ્રગતિપત્રક -B ભરવા શિક્ષકશ્રી માટેની સૂચનાઓ :
  1. સતત મૂલ્યાંકનને આધારે પ્રત્યેક બાળકનું પ્રગતિ પત્રક તૈયાર કરવું.
  2. પ્રથમપાનાના ઉપરના ભાગમાં મહત્વની વિગતો કાળજીથી ભરવી.
  3. પ્રથમ પાના પરના પ્રથમ કોઠામાં શાળા તત્પરતા અન્વયે કરેલી પ્રવૃત્તિઓની તેમજ બીજા કોઠામાં ભાષા / ગણિત / પર્યાવરણ શિક્ષણ અન્વયે વર્ષ દરમિયાન કરાવેલ પ્રવૃત્તિઓની સંખ્યા લખવી.
  4. પરિણામપત્રકમાં પ્રત્યેક વિધાર્થી વિષયવસ્તુ અન્વયે પ્રગતિ પત્રકમાં કરેલી નોંધના આધારે A , B , C પૈકી કઈ કક્ષા ધરાવે છે તે નોંધવું.
  5. વિધાર્થીઓની સંખ્યા વધુ હોય તો વચ્ચેના ભાગમાં ઇનર ચિપકાવવું.
  6. પરિણામ પત્રક તૈયાર કરી આચાર્યશ્રીને વર્ગનાં બાળકોના પ્રગતિ પત્રક તથા પરિણામ પત્રક સહી કરીને આપવા તેમજ આચાર્યશ્રીની સહી પણ તેમાં અવશ્ય લેવી.
  7. પરિણામ પત્રક અને પ્રગતિ પત્રકો ફાઈલ કરવા આચાર્યશ્રીને આપો.
  8. પ્રત્યેક વિધાર્થી દીઠ આપવા સર્વગ્રાહી વિકાસાત્મક મૂલ્યાંકન પત્રકમાં જરૂરી નોંધ કરી તેમાં તમારી સહી કરવી, વિધાર્થીના વાલીશ્રીની સહી અવશ્ય કરાવવી. ત્યાર બાદ આ પત્રક આચાર્યશ્રીને સુપરત કરવું. 
આચાર્યશ્રી માટેની સૂચનાઓ :
  1. સતત મૂલ્યાંકનને આધારે વર્ગશિક્ષકે ફાઈલ કરવા આપેલ પ્રત્યેક બાળકનું પ્રગતિ પત્રક તે બાળક ઉપરના ધોરણના શિક્ષકને પ્રગતિની જાણકારી માટે અવશ્ય આપવું.
  2. વર્ગશિક્ષક દ્વારા વિધાર્થી દીઠ આપવામાં આવેલ સર્વગ્રાહી વિકાસાત્મક મૂલ્યાંકન પત્રક તે બાળકના ઉપરના ધોરણના વર્ગશિક્ષકને સુપરત કરવા
Source by GCERT Gujarat
Previous Post Next Post

Comments