Advertisement

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના | Vidhva Sahay Yojana Gujarat | Apply Online Form

Gujarat Vidhva sahay Yojana | vidhva sahay yojana online | vidhva sahay na document, ગંગા સ્વરૂપ યોજના ફોર્મ | Online Application Status Check | ganga swarupa yojana pdf

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના | Vidhva Sahay Yojana Gujarat | Apply Online Form

About Scheme

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓને વર્તમાન પ્રવાહમાં લાવવા માટે, સશક્તિકરણ અર્થે અને સુરક્ષા માટે ઘણી યોજનાઓ અમલી બનાવેલ છે. જેમાં વ્હાલી દિકરી યોજના, સખી-વન સ્ટોપ સેન્‍ટર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્‍દ્ર, 181 મહિલા હેલ્પલાઈન, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્‍ટર(PBSC) વગેરે યોજનાઓ ચાલે છે. જેમાં ગંગા સ્વરૂપા એટલે વિધવા બહેનોને સમાજમાં પુન:સ્થપાન અને આર્થિક મદદરૂપ થવાના હેતુથી Vidhva Sahay Yojana અને ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે.

vidhva sahay yojana online check status, vidhva sahay yojana details in gujarati, vidhva sahay yojana online apply, vidhva sahay yojana online check status gujarat, vidhva sahay yojana gujarat list, vidhva sahay yojana beneficiary status, vidhva sahay yojana online apply gujarat, vidhva sahay yojana gujarat helpline number

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાનો હેતુ

નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનભેળ જીવન જીવી શકે તે માટે ગુજરાત સરકારના Women And Child Development Department (WCD) દ્વારા વિધવા બહેનોને આર્થિક મદદરૂપ થવાના ઉદ્દેશ સાથે ગંગા સ્વરૂપ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. વિધવા સહાય યોજનાનું નામ બદલીને અત્યારે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (Ganaga Swarupa Arthik sahay Yojana) કરવામાં આવ્યું છે જેમાં વિધવા બહેનને 21 વર્ષથી વધુ ઉંમરનો પુત્ર હોય તો પણ આ યોજનાનો લાભ મળશે. વિધવા સહાય યોજના ગુજરાત રાજ્ય દ્વારા ગંગા સ્વરુપા આર્થિક સહાય યોજના ચલાવવામાં આવે છે તથા કેન્‍દ્ર સરકાર દ્વારા અને ગુજરાત રાજ્ય સંયુક્ત રીતે “ઈન્‍દિરા ગાંધી નેશનલ વિ‍ડો પેન્શન સ્કીમ” ચલાવવામાં આવે છે.

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ઉદ્દેશ્ય 

  • યોજનામાં સહાયની રકમ
  • વિધવા સહાય યોજનાની પાત્રતા
  • વિધવા સહાય યોજનાના ડોક્યુમેન્‍ટ
  • અરજી ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરવું?
  • Vidhava Sahay Yojana Helpline
  • Ganga swarupa yojana online apply માટેની વેબસાઈટ
  • ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ચાલુ રાખવા માટેની શરતો
  • વિધવા સહાય યોજનાની અરજીનું Online Stutus કેવી રીતે જાણી શકાય?
  • વિધવા સહાય યોજનાનું ફોર્મ pdf (vidhva sahay yojana form)

યોજનામાં સહાયની રકમ

Vidhva Sahay Yojana Benefits નીચે મુજબ મળવાપાત્ર છે.

1. વિધવા લાભાર્થીને દર મહિને લાભાર્થીના પોસ્ટ/બેંક ખાતામાં સીધા DBT (Direct Benefit Transfer) મારફતે 1250/- રૂપિયા જમા કરવામાં આવે છે.

2. વિધવા સહાય મેળવતા લાભાર્થીનું અકસ્માતે મૃત્યુ થતાં સરકારશ્રીની ગુજરાત સામૂહિક જૂથ સહાય(જનતા) અકસ્માત વિમા યોજના અંતર્ગત વારસદારને રૂપિયા 1,00,000/- (એક લાખ) મળવાપાત્ર છે.


3. વિધવા સહાય મેળવનાર 18 થી 40 વર્ષની તમામ મહિલાઓને ફરજીયાતપણે 2 વર્ષમાં  સરકાર માન્ય કોઈપણ ટ્રેડની (વ્યવસાયલક્ષી) તાલીમ મેળવવાની રહેશે.

વિધવા સહાય યોજનાની પાત્રતા

Gujarat Vidhva Sahay Yojana Eligibility Criteria નીચે મુજબના છે.


1.  18 વર્ષ કે તેથી વધુ વયની કોઈપણ નિરાધાર વિધવાઓને મૃત્યુ પર્યંત વિધવા (ગંગા સ્વરૂપા આર્થિક) સહાય લાભ મળવાપાત્ર થશે.


2. National Social Assistance Programme (રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ-NSAP) હેઠળ Indira Gandhi National Widow Pension Scheme (ઈન્‍દિરા ગાંધી નેશનલ વિડો પેન્‍શન સ્કીમ) અંર્તગત BPL લાભાર્થી જેમની 40 વર્ષથી વધુ હોય તેવી વિધવા સ્ત્રીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે.


3. ગુજરાત સરકારની નિરાધાર વિધવા પેન્‍શન યોજના Destitute Widow Pension Scheme(DWPS) અંતર્ગત લાભાર્થી જેમની ઉંમર 18 થી ૪૦ વર્ષની વચ્ચે હોય અને 40 થી વધુ વર્ષ ઉપરના BPL  ન ધરાવતા હોય તેમને આ યોજનાનો લાભ મળવાપાત્ર થાય છે.


4. વિધવા(ગંગા સ્વરૂપા આર્થિક) સહાય મેળવવા માટે ગ્રામ્ય સ્તરે (Income Eligibility Criteria for Vidhva Sahay Yojana) કુટુંબની વાર્ષિક આવક 1,20,000 (એક લાખ વીસ હજાર) તથા શહેરી વિસ્તાર માટે 1,50,000 (એક લાખ પચાસ હજાર) ની જોગવાઈ સરકારીશ્રી દ્વારા કરવામાં આવેલ છે.


વિધવા સહાય યોજનાના ડોક્યુમેન્‍ટ

Required Document for Gujarat Vidhva Sahay Yojana નીચે મુજબના છે.


1.પતિના મરણનો દાખલો

2. આધારકાર્ડ

3. રેશનકાર્ડની નકલ

4. આવક અંગેનો દાખલો

5. વિધવા હોવા અંગેનો દાખલો

6. પુન:લગ્ન કરેલ નથી તે બાબતનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર

7. અરજદારની ઉંમર અંગેના પુરાવા

8. પાસપોર્ટ સાઇઝના બે ફોટા

9. બેંક અથવા પોસ્ટ પાસબુક


અરજી ફોર્મ ક્યાં અને કેવી રીતે ભરવું?

વિધવા સહાય યોજના ફોર્મ ભરવા બાબતે લોકો ઘણા પ્રશ્નોત્તરી કરતા હોય છે જેમાં “How can I apply online for widow pension in Gujarat? અને “How to Apply gujarat pension online? આ પ્રકારની પ્રશ્નોત્તરીનો જવાબ નીચે મુજબ ગુજરાતી ભાષામાં આપેલ છે.


ગુજરાત સરકાર દ્વારા Vidhva Sahay Yojana અન્‍વયે ઓનલાઈન અરજીઓ બાબતેની કામગીરી ગ્રામપંચાયત ખાતે Digital Gujarat Portal પરથી ઓનલાઈન અરજી કરવાની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે.


ગ્રામપંચાયત ખાતે VCE (Village Computer Entrepreneur) પાસેથી ડિજિટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat login) પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.


સૌપ્રથમ Vidhva Sahay Yojna Form ની નકલ મેળવીને અરજી પર ગ્રામ પંચાયતના તલાટીશ્રી પાસે સહી અને સિક્કા કરાવીને VCE ને આપવું.

ગ્રામ પંચાયાતના VCE દ્વારા Digital Gujarat Portal પર ઓનલાઈન એન્‍ટ્રી કરવામાં આવશે.

તાલુકા કક્ષાએ મામલતદાર કચેરી ખાતેથી કોમ્પ્યુટર ઓપરેટર મારફતે ડિજિટલ ગુજરાત પોર્ટલ (Digital Gujarat Portal) પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. 


Vidhava Sahay Yojana Helpline

વિધવા સહાય યોજનાની ઓનલાઈન ભરવાનું રહેશે. ડિજીટલ ગુજરાત પોર્ટલ પર ફોર્મ ભરવા બાબતે હેલ્પલાઈન જાહેર કરેલ છે. Digital Gujarat Portal Helpline 18002335500 નંબર પર ડીજીટલ પોર્ટલ બાબતે વધુ માહિતી લઈ શકાય છે.


Ganga swarupa yojana online apply માટેની વેબસાઈટ

Ganga swarupa yojana online apply માટેની વેબસાઈટ

ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ચાલુ રાખવા માટેની શરતો

1. વિધવા લાભાર્થીઓને દર વર્ષે જુલાઈ માસમાં તેમણે પુન:લગ્ન કર્યા નથી તે અંગેનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર સંબંધિત મામલતદાર કચેરીમાં જમા કરાવવાનું રહેશે.

2. વિધવા સહાય યોજનાનો લાભ ચાલુ રાખવા હેતુથી લાભાર્થીઓએ કુટુંબની આવક અંગેનું પ્રમાણપત્ર દર ત્રણ વર્ષે જુલાઈ માસમાં સંબંધિત મામલતદારશ્રીની કચેરીમાં આપવાનું રહેશે.

વિધવા સહાય યોજનાની અરજીનું Online Stutus કેવી રીતે જાણી શકાય?

વિધવા સહાય યોજનાની અરજી અન્‍વયે લોકો આ પ્રકારે પ્રશ્નો પૂછે છે. જેમાં“vidhva sahay yojana online check status” અને How to check my widow pension status online? અને “How Can I check gujarat widow Pension detail online? આ પ્રકારના પ્રશ્નોનો જવાબ નીચે મુજબ છે.
વિધવા સહાય યોજનાની અરજીનું Online Stutus કેવી રીતે જાણી શકાય?
  1. સૌપ્રથમ લાભાર્થી https://nsap.nic.in/ આ વેબસાઈટ Open કરવી.
  2. NSAP  વેબસાઈટ ખોલ્યા બાદ Report માં જવું.
  3. Report માં Beneficiary Search, Track and Pay માં જવું.
  4. ત્યારબાદ “Pension Payment Details(New) માં જવું.
  5. લાભાર્થી 3 રીતે પોતાની Online Application નું Stutus જાણી શકશે.
  6. Sanction Order No/Application No
  7. Application Name
  8. Mobile No.
વિધવા સહાય યોજનાનું ફોર્મ pdf (vidhva sahay yojana form)

વિધવા સહાય યોજનાનું ફોર્મ pdf (vidhva sahay yojana form)

નિરાધાર વિધવા સહાય યોજનાનો લાભ મેળવવા માટે Indira Gandhi National Widow Pension Scheme અને Destitute Widow Pension Scheme(DWPS) એમ બે સ્કીમના ધારા-ધોરણો મુજબ અરજીઓના નમૂના અલગ-અલગ છે જેથી જેની પાત્રતા ધરાવતા હોય તેનું અરજી ફોર્મ ભરવાનું રહેશે. પરંતુ લાભાર્થીઓને સહાયની રકમ એકસમાન દર મહિને રૂપિયા 1250 મળવાપાત્ર જ થશે.
ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના(DWPS) Download Form


ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના


પુનઃ લગ્ન કરતી મહિલાઓને ”ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના” નો લાભ મળશે


૧૮ થી ૫૦ વર્ષની વયની લાભાર્થી મહિલાના બચત ખાતામાં રૂ. ૨૪ હજાર તેમજ રૂ. ૨૫ હજારની રકમના રાષ્ટ્રીય બચત પત્ર સહીત રૂ. ૫૦ હજારની આર્થિક સહાય


સામાજિક સુરક્ષા અને કલ્યાણ વિભાગ દ્વારા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના હેઠળ હવે પુનઃ લગ્ન કરતી મહિલાઓને ”ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના” નો લાભ મળશે. ગંગા સ્વરૂપા મહિલાઓ પરત્વે સામાજિક અને માનસિક પરિવર્તન સાથે લગ્ન ઇચ્છુક ગંગા સ્વરૂપા બહેનોને સમાજના સાંપ્રત સમયમાં પુનઃસ્થાપિત કરવાના અભિગમ સાથે રાજ્ય સરકાર દ્વારા ૧૮ થી ૫૦ વર્ષની વયની લાભાર્થી મહિલાના બચત ખાતામાં રૂ. ૨૪ હજાર તેમજ રૂ. ૨૫ હજારની રકમના રાષ્ટ્રીય બચત પત્ર સહીત રૂ. ૫૦ હજારની આર્થિક સહાય પુરી પાડવામાં આવશે. આ યોજનાનો લાભ લેનાર મહિલાની ઉમર ૧૮ થી ૫૦ વર્ષની વચ્ચે તેમજ મહિલા જે વ્યક્તિ સાથે પુનઃલગ્ન કરવા માંગે છે તેના પત્ની હયાત નો હોવા જોઈએ. આ યોજનાનો લાભ લેવા માટે મહિલાએ પુનઃલગ્ન કર્યા બાદ ૬ મહિનાના સમયમાં જરૂરી આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે. આ માટેના અરજી પત્રક મહિલા અને બાળ વિકાસની વેબસાઈટ https:// wcd.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. આ અરજી પત્રક મહિલા અને બાળ અધિકારીની ઓફિસે જમા કરાવવાના રહેશે.


લાભ કોને મળવાપાત્ર છે.

  • અરજદાર વિધવા મહિલાની ઉંમર 18 વર્ષથી 64 વર્ષ સુધીની હોવી જોઇએ.
  • 21 વર્ષ કે તેથી વધુ ઉંમરનો પુત્ર ન હોય.
  • અરજદારની વ્યક્તિગત વાર્ષિક આવક રૂ. 24,000 થી વધુ ન હોય, તેમજ કુટુંબની વાર્ષિક આવક રૂ. 45,000 થી વધુ ન હોવી જોઇએ.
  • 21 વર્ષ કે તેથી વધુ ઉંમરનો પુત્ર હોય જે અસ્થિર મગજનો હોય અથવા 75 % થી વધુ વિકલાંગતા ધરાવતો હોય અને બિનકમાઉ હોય તો.
  • ગુજરાત રાજ્યના વતની હોવા જોઇએ.


યોજના હેઠળ મળવાપાત્ર લાભ

  1. આ યોજના હેઠળ લાભાર્થીને માસિક રૂ. 500 લેખે માસિક સહાય પોસ્ટ ઓફિસ બચત ખાતા મારફતે લાભાર્થી બચત ખાતામાં જમા કરાવવામાં આવે છે.
  2. લાભાર્થી પર આધારિત બાળકોને (બે બાળકોની મર્યાદામાં) બાળકદીઠ માસિક રૂ. 80 લેખે દર માસે ચુકવવામાં આવે છે.
  3. યોજના હેઠળની 18 થી 40 વર્ષની વયજૂથના લાભાર્થીઓને સ્વરોજગારની તાલીમ લેવી જરૂરી છે.
  4. આ યોજના હેઠળના 18 થી 40 વર્ષની વયજૂથના લાભાર્થીઓને સ્વરોજગારની તાલીમ આપી નિયમ મુજબ સાધન સહાય ચુકવવામાં આવે છે અથવા તો રોજગારી માટે લોન નિયમ મુજબ માર્જીન મનીરૂપે આપી પુન:સ્થાપિત કરવામાં આવે છે.
  5. 40 વર્ષથી વધુ અને 64 વર્ષની ઉંમર સુધીની વિધવાઓને યોજના હેઠળના અન્ય નિયમોનુસાર પાત્રતા ધરાવતા હોય તો 64 વર્ષ સુધીની ઉંમર પુરી થતા વૃદ્ધ પેન્શન માટે નવી અરજી કર્યા સિવાય, પાત્રતા ધરાવતા નિરાધાર વિધવા લાભાર્થીઓના કેસો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી જરૂરી ભલામણ સાથે સંબંધિત પ્રાંત અધિકારીશ્રીને મોકલે છે. જ્યાં પુન:ચકાસણી સિવાય વૃદ્ધ પેન્શન મંજુર થાય છે.
  6. તા. 01-04-2008 થી યોજનાના લાભાર્થીઓને રાજ્ય સરકારની જૂથ વીમા યોજના હેઠળ રૂ. 1,00,000 નું વીમા કવચ ઉપલબ્ધ કરવામાં આવે છે.
  7. અરજી કરવાની સમય મર્યાદા-પતિના મૃત્યુ થયાની તારીખથી બે વર્ષમાં અરજી કરવાની રહેશે. પરંતુ ખાસ કિસ્સામાં કલેક્ટરશ્રી બે વર્ષ બાદ કરેલી અરજી મંજુર કરી શકે છે.


અરજીપત્રક સાથે સામેલ કરવાની માહિતી

  • અરજીપત્રક સંબંધિત પ્રાંત કચેરી/કલેક્ટર કચેરી/જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરીએથી વિના મૂલ્યે મળે છે.
  • અરજીપત્રક સાથે પતિના મરણનો દાખલો.
  • આવકનો દાખલો.
  • જમીન ધરાવતા હોય તો 7/12 નો ઉતારો.
  • અરજદારના બાળકોની ઉંમરના પુરાવા/દાખલા.
  • અસ્થિર મગજ તેમજ વિકલાંગ બિનકમાઉ પુત્ર હોય તો તેનું મેડિકલ પ્રમાણપત્ર/ વિકલાંગ ઓળખકાર્ડની ઝેરોક્ષ નકલ.
  • અરજીપત્રક ભરી જિલ્લા પ્રાંત અધિકારીની કચેરીને રજુ કરવાનું રહેશે, જે પુરાવા ચકાસી યોગ્ય જણાયે સહાય મંજૂરી આદેશ કરશે.


યોજના હેતુ :

રાજ્ય સરકારના સમાજ સુરક્ષા ખાતા હસ્તકની નિરાધાર વિધવાઓના પુન:સ્થાપન માટે આર્થિક સહાય યોજના હેઠળના 18 થી 40 ની ઉંમરના લાભાર્થીને તાલિમ આપી પુન:સ્થાપન કરવામાં સઘન પ્રયત્નો રૂપે અમલી છે.


લાભ કોને મળી શકે ?

  • 18 થી 40 વર્ષની ઉંમરના લાભાર્થીઓને યોજનાનો લાભ મળી શકશે.
  • નિરાધાર વિધવા સહાય યોજના હેઠળ સહાય મેળવતા હોવા જોઇએ.
  • ટૂંકાગાળાના સ્વરોજગારલક્ષી તાલીમ ટ્રેડ સફળતાપૂર્વક પૂર્ણ કરવાનો રહેશે.
  • સફળતાપૂર્વક તાલીમપૂર્ણ કરતા માનવ ગરિમા યોજનાના ધોરણે નિયમ મુજબ સઘન સહાય અથવા સ્વરોજગારી લોન માટે તેટલી જ રકમની માર્જીન મની આપવામાં આવશે.
  • સ્વરોજગારી માટે સાધન સહાય અથવા માર્જીન મની ઉપરાંતની ખૂટતી રકમ તાલીમ સંસ્થા મારફત બેંક લીકેજ દ્વારા પોરી પાડવામાં સઘન પ્રયત્નો કરવામાં આવશે.
વિધવા સહાય યોજના pdf, વિધવા સહાય યોજના Online, વિધવા સહાય યોજના 2022, વિધવા સહાય યોજના ઠરાવ, વિધવા પેન્શન લિસ્ટ Gujarat 2022, ગુજરાત વિધવા સહાય યોજના, વિધવા સહાય યોજના 2022 ફોર્મ pdf, વિધવા પેન્શન લિસ્ટ Gujarat 2022
Previous Post Next Post

Comments